Skip to main content

જૂનાગઢ: પુલ તૂટતા લટકી ST, ટ્રેક્ટર વડે ખેંચી બસને બહાર કાઢી


બસમાં બેઠેલા 25 મુસાફરોને સલામત રીતે બહાર કઢાયા હતા
કેશોદ: કેશોદ તાલુકાનાં સરોડ ગામ પહેલાં આવતા પુલ પરથી આજે એક એસટી બસ પસાર થઇ રહી હતી એજ વખતે પુલ અચાનક ધરાશાયી થઇ ગયો હતો. પરીણામે બસ પુલ પરજ લટકી પડી હતી. જોકે, આ બનાવમાં કોઇ પેસેન્જરને ઇજા પહોંચી નહોતી. ગામલોકોએ ટ્રેકટર વડે બસને ખેંચીને રોડ પર લાવી હતી. અને બાદમાં કેશોદ એસટી ડેપો ખાતે મોકલી આપી હતી.

એસટી બસ પસાર થતી વખતે જ પુલ થયો ધરાશાયી
પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, આજે સવારે 7:30 વાગ્યાનાં અરસામાં કેશોદથી બાંટવા જતી બસ કેશોદ તાલુકાનાં સરોડ ગામે પહોંચી એ વખતે ગામની પહેલાં આવતા એક નાનકડા પુલ પરથી પસાર થતી વખતે પુલ અચાનક જ ધરાશાયી થઇ ગયો હતો. જોકે, બસનાં આગલા વ્હીલ સહિત અડધાથી વધુ ભાગ રોડ પર રહી ગયો હોવાથી કોઇ ગંભીર અકસ્માત સર્જાયો નહોતો. બસનાં ડ્રાઇવર રાજેશભાઇ કરંગીયાએ કુનેહપૂર્વક બસને નદીમાં ગબડતી અટકાવી હતી.

4 કલાકની મહેનતનાં અંતે બસને બહાર કાઢી
બાદમાં 20 મુસાફરોને ધીમે ધીમે બસની બહાર કાઢ્યા હતા. આ વાતની ખબર પડતાં ગામલોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને બસને બહાર ખેંચી કાઢવા ટ્રેકટર જેવા વાહનો કામે લગાડી આખરે 4 કલાકની મહેનતનાં અંતે બસને બહાર કાઢી હતી. બાદમાં તેને કેશોદ એસટી ડેપો ખાતે રવાના કરાઇ હતી. જ્યારે મુસાફરો પોતપોતાનાં ગંતવ્ય સ્થાને જવા રવાના થયા હતા.

પુલ વર્ષોથી જર્જરિત
કેશોદ તાલુકાનાં સરોડ ગામ પાસેનો આ પુલ વર્ષો જૂનો છે. અને તે જર્જરિત હાલતમાં હોઇ ગામલોકોએ તેને રીપેર કરવા અનેકવખત રજૂઆતો કરી છે. આમ છત્તાં તંત્રઅે ધ્યાન ન આપતાં આજની ઘટના બની હતી. જો બસ ડ્રાઇવરે સમયસુચકતા વાપરી બસને નદીમાં ગબડતી અટકાવી ન હોત તો ગંભીર અકસ્માતની શક્યતા હતી.

વાહન પસાર થાય એટલે પોપડાં ખરે
જેટલી વખત આ પુલ પરથી વાહનો પસાર થાય એટલી વખત ધ્રુજારી સાથે તેમાંથી પોપડાં ખરતા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.


Comments

Popular posts from this blog

Salangpur - Hanuman temple

Shri Hanuman temple is located in the Sarangpur, taluka Bawala, of Gujarat. It’s devoted to god Hanumanji in the form of “Kastbhanjan Bhagwan”. The Sarangpur Hanuman Mandir murti will be placed on golden throne during ‘Kastbhanjan devta’. This is appointed to be captivated in April. The golden throne is 25 kg in weight and its cost is estimated at Rs.11 crore. As Tuesday and Saturday is devoted to Hanumanji, it is designated day for a special ritualistic for those affected by mental illness, stress and other disorder.  History of  Hanuman Temple According to historical records Sadguru Gopalanand Swami installed the idol of Lord Hanuman in the temple. As per the records of author Raymond Williams, Sadguru Gopalanand Swami while installing the idol touched it with a rod that stirred life into it and made it move. The incident developed into a famous story and became the driving force behind the initiation of the healing ritual conducted in this temple गुजरात क...

વડોદરામાં ફરી ડિમોલિશનમાં ડખો ઉભો થયો, લોકોએ પથ્થરમારો કરી વાહનો બાળ્યા

આજે વડોદરામાં સતત બીજા દિવસે દબાણ શાખાની ટીમને ડિમોલિશન પ્રક્રિયામાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો. વડોદરાના અટલાદરા વિસ્તારમા દબાણ હટાવવાન મુદ્દે ઘર્ષણ થયું હતું. જેથી સ્થાનિક લોકોએ પથ્થરમારો કર્યો હતો. તેમજ વાહનો અને અન્ય સામાનને આગ ચાંપી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, વડોરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ અટલાદરા પાસેના ભીમતળાવ ખાતે 500 જેટલા ગેરકાયદેસર મકાનોને તોડી પાડવા પહોંચી હતી. પરંતુ સ્થાનિક લોકોએ દબાણ ટીમ પર ગુસ્સો ઉતારીને તેમની સાથે ઘર્ષણ પર પહોંચી ગયા હતા. જો કે સ્થાનિકોના રોષને જોઈએ દબાણ શાખાની ટીમ પાછી ફરી હતી અને અડધો કલાક બાદ પોલીસ બંદોબસ્ત અને ફાયરબ્રિગેડના કાફલા સાથે પરત આવી હતી. પોલીસની હાજરીમાં દબાણ શાખાએ કામગીરી શરૂ કરતાં જ સ્થાનિક ટોળાએ તેમનો સામાન ઘરમાંથી બહાર કાઢી આગ ચંપી કરી હતી. ગુસ્સે થયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો પણ શરૂ કર્યો હતો. ભારે પથ્થરમારો થતાં પોલીસ, ફાયરબ્રિગેડ અને દબાણ શાખાની ટીમે પણ વળતો પથ્થરમારો કરવો પડ્યો હતો. સ્થિતિ પર કાબૂ મેળવવા પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. સામ-સામે પથ્થરમારા અને ઘર્ષણમાં બે પોલીસકર્મીઓ સહિત પાંચ લોકોને ઇજ...

Talaja Hills Bhavnagar

Fact File Location Talaja Town, Bhavnagar District, Gujarat Contains Buddhist Caves, Jain Derasar, Hindu Mandir dedicated to Khodiyar Maa Open Sunrise to Sunset (6 am to 7 pm) Closed Monsoon season Fees None Talaja Hills Bhavnagar Located at the confluence of the Sarita and the Shatrunjaya rivers, Talaja lies at a distance of approximately 32 kilometers from Palitana, the most important religious town for Jainism. At the same time, Talaja Hills are known to be of religious importance not only for Jainism, but also for Buddhism and Hinduism. The Talaja Hill is round 320 feet high and houses 30 ancient Buddhist caves that run into the rocks. These caves are known are known to have fine carvings of Boddhisatva. Another place of historical importance in the caves is the Ebhala Mandapa, which is a large hall with four pillars. These pillars have an impressive octagonal shape. Apart from the caves, there is also a Hindu Temple of Khodiar Mata and a J...