આજે વડોદરામાં સતત બીજા દિવસે દબાણ શાખાની ટીમને ડિમોલિશન પ્રક્રિયામાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો. વડોદરાના અટલાદરા વિસ્તારમા દબાણ હટાવવાન મુદ્દે ઘર્ષણ થયું હતું. જેથી સ્થાનિક લોકોએ પથ્થરમારો કર્યો હતો. તેમજ વાહનો અને અન્ય સામાનને આગ ચાંપી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, વડોરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ અટલાદરા પાસેના ભીમતળાવ ખાતે 500 જેટલા ગેરકાયદેસર મકાનોને તોડી પાડવા પહોંચી હતી. પરંતુ સ્થાનિક લોકોએ દબાણ ટીમ પર ગુસ્સો ઉતારીને તેમની સાથે ઘર્ષણ પર પહોંચી ગયા હતા. જો કે સ્થાનિકોના રોષને જોઈએ દબાણ શાખાની ટીમ પાછી ફરી હતી અને અડધો કલાક બાદ પોલીસ બંદોબસ્ત અને ફાયરબ્રિગેડના કાફલા સાથે પરત આવી હતી. પોલીસની હાજરીમાં દબાણ શાખાએ કામગીરી શરૂ કરતાં જ સ્થાનિક ટોળાએ તેમનો સામાન ઘરમાંથી બહાર કાઢી આગ ચંપી કરી હતી. ગુસ્સે થયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો પણ શરૂ કર્યો હતો. ભારે પથ્થરમારો થતાં પોલીસ, ફાયરબ્રિગેડ અને દબાણ શાખાની ટીમે પણ વળતો પથ્થરમારો કરવો પડ્યો હતો. સ્થિતિ પર કાબૂ મેળવવા પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. સામ-સામે પથ્થરમારા અને ઘર્ષણમાં બે પોલીસકર્મીઓ સહિત પાંચ લોકોને ઇજ...

Comments
Post a Comment